મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે)

 મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે)

પ્રસ્તાવના-

કીડની/ હદય/ કેન્સર/ લીવરના રોગની સારવાર/ ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે.

ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઇ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે.

શરતો-

1. આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.

2. દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ.

૩. આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્ન્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ.

4. દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ માન.મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ માં આગાઉ અરજી કરેલ ના હોવી જોઈએ.

જે-તે રોગની સારવાર/ઓપરેશન માટે સરકારશ્રીએ નિયુકત કરેલ હોસ્પિટલો

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે


હૃદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ-

1. યુ.એન,મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬

2. શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬

૩. ધરમસિંહ દેસાઇ મેમોરીયલ મેથોદીસ્ક ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી, મિશન રોડ, નડીયાદ-૩૮૭૦૦૨

4. શ્રી બી.ડી. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રીંગરોડ, સુરત-૩૯૫૦૦૧

5. ઈ.એમ.ચેરીટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, પ્લોટ નં-૧ થી ૮, સિદ્ધકુટીર ઇન્ડ એસ્ટેટ, ચોથો માળ, સિદ્ધકુટીર મંદિર ની બાજુમાં વરાછા કાયર બ્રિગેડની સામે, વરાછા રોડ, સુરત.

કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ-

1. ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬

2. મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, ડો વીરેન્દ્ર દેસાઇ રોડ,નડીયાદ-૩૮૭૦૦૧

કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલ-

1. ધી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-૧૬

2. રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટીટ્યુટ, ૧૪ તિરુપતિ નગર, નિર્મલા કોન્વેન્ત ની સામે, રાજકોટ-07

રજુ કરવાના પુરાવાઓ-

1. દર્દી અથવા તેના પરિવારની આવક દર્શાવતો મામલતદારશ્રી નો દાખલો

2. ધારાસભ્યશ્રી ની ભલામણ ચિઠ્ઠી

૩. દર્દી ધ્વારા મુખ્યમંત્રીશ્રી ને અરજી

4. ઓ.પો.ડી કેસ ની ઝેરોક્ષ

5. રેશનકાર્ડ ની ઝેરોક્ષ

6. સારવાર નો અંદાજીત ખર્ચ નો લેટર (હોસ્પિટલ ધ્વારા)

7. ૫૦રુ. ના સ્ટેમ્પ પર સોગંધ નામું

8. ઓપરેશન બાકી છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ)

અથવા

ઈમરજન્સીમાં ઓપરેશન થયેલ હોય તો ઈમરજન્સીમાં ઓપરેશન થયું છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ )

દરેક પુરાવાઓ ને ભેગા કરી જો નકલ માંગી હોઇ તો નોતરી ના સિક્કા મારવી માન.મુખ્યમંત્રી શ્રી નું કાર્યાલય, ગાંધી નગર, સરદાર પટેલ ભવન ખાતે પોસ્ટ ધ્વારા મોકલવું.

અરજી મંજુર કે ના મંજુર નો જવાબ આપશ્રી ને ૧૦ દિવસ સુધીમાં મળી જશે.


જરૂરી પુરાવા અને સોગંધનામું ના નમુના બાબતે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

https://revenuedepartment.gujarat.gov.in/downloads/CMRF.pdf


*આ માહિતી ની વિગતો 07/02/2021 મુજમની છે જેને ધ્યાનમાં લેવી .

Comments

Popular posts from this blog

તલાટી ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ

હવામાનમાં આવશે ફરીથી પલટો, આ તારીખથી શરુ થશે સારો વરસાદ, જાણો આગાહી

Interesting Biology Facts